Sunday, 19 April 2026

शैव भाष्ये च द्वैतमते काश्मीरी त्रिकमती संचये पशुपाशपति, पूर्वधारणा कृत शब्द चर्चा भाग 2

धृताची धृवम् धं पदं धृणम। यं उचुः सावित्री ज्ञानं।

शैव धर्म च शैव भाष्यकार पुस्तके पदार्थी त्रय रूपं; पशुपाशर्पतिं नामे गोचरीत ग्रंथ माहितया अनुलेखने।

पति : अत्र तत्र सर्वत्र

पाश : मल माया कर्म निरोधशक्ति च बिंदु

पशु : विज्ञानाकल प्रलयाकल सकल

मोक्ष : शिव साम्य रूपे

त्रि क्षेत्रीय प: उरं निर्देशित ल सम्यके तमसी  "र" कारे प्रभु पशुपाशपति नामशेषं क्रियतां ।

जिगरम्

श्रीयुत नर्मदा पारधी स्य पुस्तक आलेख प्रस्तुति गुजराती अनुलेखन विशेष :

.... શૈવસિદ્ધાંતે સ્વીકારેલાં મુખ્ય ત્રણ તત્ત્વો પતિ પશુ અને પાશમાં શૈવાગમોએ દર્શાવેલા છત્રીસ તત્ત્વોનો અંતર્ભાવ થાય છે. શિવ, શક્તિ, મંત્રમહેશ, મંત્રેશ, મંત્રરૂપ એ પાંચ તત્ત્વો પતિ પદાર્થમાં અંતર્ભાવ પામે છે. વિજ્ઞાનાકલ, પ્રલયાકલ અને સકલનો પશુપદાર્થમાં સમાવેશ થાય છે. મલનિરોધ, શક્તિ, માયા, બિન્દુ અને કર્મરૂપ પાંચ પ્રધાન તત્ત્વોનો પાશમાં સમાવેશ કર્યો છે.


પદાર્થત્રયસ્વરૂપ :


(૧) પતિ : તે એક, સર્વવ્યાપી, નિત્ય, અનાદિ, મુક્ત, નિર્મલ, પ્રભુ,શાંત, અકારણકારણ, સર્ગાદિકાર્યોનો કર્તા હોવા છતાં અવિકારી અને કમળને ખીલવતા સૂર્યની જેમ જગતનું નિમિત્તકારણ છે, તેની શક્તિઓ જગતનું ઉપાદાનકારણ છે અને માયા એ સમવાયિકારણ છે. તેની ઉપાદાનભૂત શક્તિ ચિત્સ્વરૂપા છે, તે માયાની જેમ પરિણામ પામતી નથી. પતિ સાથે તેનો સમવાયસંબંધ છે.


(૨) પાશ : પતિ અને પશુ વચ્ચેના ભેદનું કારણ છે પાશ. તેને અંતર્ગત મલ, માયા, કર્મ, નિરોધશક્તિ અને બિન્દુ નામના પાંચ અવાંતરપદાર્થો છે.


મળ એ આણવ, માયા અને કર્મરૂપ છે. તે પશુ (જીવ)ની જ્ઞાન અને ક્રિયાશક્તિનું તિરોધાન કરનાર હોવાથી અનાદિ છે.


માયા વસ્તુરૂપ અને ચિત્ત રૂપ છે.

કર્મ તેનું અનુષ્ઠાન કરનારને ફળદાયી હોવાથી કર્મપ્રવાહ નિરંતર અને અનાદિ છે


નિરોધશક્તિ એટલે તિરોભાવ. આ શક્તિની પાશમાં નહીં, પરમેશ્વર શક્તિમાં ગણના થાય છે. (ખરાબ અટકાવી સારામાં સારા તરફ પ્રયાણ માટે શર આપતી શક્તિ...)


બિન્દુ કેવળ મળ સ્વરૂપ નથી, પરંતુ શુદ્ધસૃષ્ટિનું ઉપાદાન છે. મલસ્વરૂપ બિન્દુનો મોક્ષવિચારપારા સાથે ધનિષ્ઠ સંબંધ છે.


શ્રી જે. પી. અમીને પાશના ત્રણ ભેદ ગણાવ્યા છે. માયા (પ્રકૃતિ), આણવ (અવિદ્યા) અને કર્મ, એમાં માયાના બે ભેદ કહ્યા છે. શુદ્ધ માયા અને અશુદ્ધ માયા.


શુદ્ધ માયામાંથી નાદ, બિન્દુ, સદાખ્ય, ઈશ્વર અને શુદ્ધવિદ્યા એમ પાંચ તત્ત્વોનો ઉદ્ગમ થાય છે. અશુદ્ધ માયામાંથી નિયતિ, કાળ અને કળાનો ઉદ્ગમ થાય છે. કળામાંથી રાગ અને મૂળપ્રકૃતિ ઉત્પન્ન થાય છે. રાગમાંથી વિદ્યા ઉત્પન્ન થાય છે.


મૂળપ્રકૃતિમાંથી બુદ્ધિ અને વિવિધ અહંકાર ઉત્પન્ન થાય છે. જેમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ મહાભૂતો અને મન તથા ચિત્ત નીકળે છે. 


આમ માયામાંથી તેમણે છત્રીસ તત્ત્વોની ઉત્પત્તિ દર્શાવી છે. શ્રી અમીનના મતે અહીં સાંખ્ય-યોગના તત્ત્વદર્શનની અસર વરતાય છે. 


(૩) પશુ: વિજ્ઞાનાકલ, પ્રલયાકલ અને સકલ - એમ પશુના ત્રણ ભેદ છે. તેમાંથી વિજ્ઞાનાકલ જીવો શુદ્ધ માયા સાથે જોડાયેલા છે. આ જીવો ખરી રીતે ઈશ્વરકોટિના છે. એના પણ મહેશ્વર, સદાશિવ, બિન્દુ અને નાદ એવા ચાર ભેદો છે. તેમાંનાં બિન્દુ અને નાદ તો પતિની એટલાં બધાં નિકટ અને સામથ્ર્યયુક્ત છે. કે તે લગભગ શિવ અને શક્તિ કહેવાય છે. આ ચારેય સ્વરૂપો પ્રકૃતિના સત્ત્વ, રજસ અને તમસ-ત્રણ ગુણોથી અસ્પૃષ્ટ હોવાને કારણે નિર્ગુણ છે.


પ્રલયાકલ જીવોનાં શરીર નિયતિ, કાળ, કળા, રાગ અને વિદ્યાનાં બનેલાં છે, તે પણ નિર્ગુણ છે.


વિજ્ઞાનાકલ અને પ્રલયાકલ જીવો ફરી મનુષ્ય તરીકે જન્મતા નથી. સકલ જીવોમાં બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર જેવા દેવોથી માંડીને શુદ્ર જીવો સુધીના તમામ જીવોનો સમાવેશ થાય છે. શ્રી સિંહા દર્શાવે છે કે આ મત અનુસાર પશુ અને જગત બંને પણ સત્ય અને વાસ્તવિક છે. જગતનું ખાસ પ્રયોજન છે, તે પદાર્થોનું એવું એક ક્ષેત્ર છે, જ્યાં પશુ સુખ અને દુઃખ ભોગવે છે. પતિ આદિકારણ છે તે નિયામક અને શાસક છે.


મોક્ષ : 

આ મતમાં પરાપરભેદથી મોક્ષ દ્વિવિધ છે. પરમોક્ષ શિવસામ્યરૂપ છે. પશુ જયારે મળ આવૃત્ત હોય ત્યારે ક્રિયા, ચર્ચા અને યોગના અનુષ્ઠાન વડે માયા અને કર્મરૂપ મળ દૂર થતાં ઈશના અનુગ્રહથી આણવમલ જતો રહે છે અને અપરિમિતજ્ઞાન તથા ક્રિયાશક્તિની અભિવ્યક્તિ થાય છે. ત્યારબાદ પશુ શિવસામ્યને પામે છે. પરંતુ શિવથી પશુ અલગ જ રહે છે, તેથી મોક્ષમાં પણ પશુની શિવથી અલગ સત્તાનો સ્વીકાર કરાયો છે, તેથી જ આ દર્શનને દ્વૈતદર્શન કહેવાયું છે. 


સિદ્ધાંત શૈવોનું એવું મંતવ્ય છે કે આ દ્વૈતદર્શન પ્રત્યેક સાંસારિક વ્યક્તિને ધ્યાનમાં રાખીને પ્રવર્ત થયું છે. દુઃખથી આક્રાન્ત સાધારણજન ઈશ્વરની આરાધનાથી દુઃખમુક્ત થાય છે. ધર્માચરણ પણ દ્વૈતના આશ્રયથી જ સંભવે છે, તેથી સાધારણ માણસોએ દ્વૈતનો જ આશ્રય કરવો જોઈએ. આમ આ દર્શનમાં પતિ-શિવ કે ઈશ્વર અને પશુ-જીવ બંનેની અલગ સત્તાનો સ્વીકાર થયો છે. અહીં પતિ એ માત્ર નિમિત્તકારણ જ છે. ઉપાદાનકારણ માયા-શક્તિ છે.


पशुपति (भगवान शिव) ने पौराणिक कथाओं के अनुसार कई राक्षसों का वध किया, जिनमें से प्रमुख हैं: 
अंधकासुर (Andhakasura): भगवान शिव ने भैरव का रूप धारण करके अंधकासुर नामक राक्षस का वध किया था।
त्रिपुरासुर (Tripurasura): शिवजी ने तारकाक्ष, कमलाक्ष और विद्युन्माली नामक तीन असुर भाइयों (जिन्हें त्रिपुरासुर कहा जाता है) का एक ही बाण से नाश किया था।
जालंधर (Jalandhar): शिवजी ने अत्यंत शक्तिशाली असुर जालंधर का वध किया था। 
जय गुरुदेव दत्त आत्रेय जय हिंद आमीन



No comments:

Post a Comment